પોસ્ટ્સ

Beliefs for Rain forecasting and Crop planing: Doubling Farmers Income

વરસ અને વરસાદના અણસાર માટે ભડલી વાકયો '' જો વરસે આદરા તો બારે માસ પાધરા.'' તેનો અર્થ એવો થાય કે...... જો આદ્રા નક્ષત્રના દિવસોમાં  વરસાદ થાય તો ચોમાસુ અને વરસ સારૂ રહે, ધન–ધાન્ય સારા થાય,  જેથી બાર મહિનાની ચિંતા મટે. ઉપયોગ : શિયાળુ પાકોનું આગોતરૂ આયોજન કરી શકાય. .................................................................................................................. '' વખ–પખ બે ભાઈલા,  વરસે તો વરસે, વાયલા તો  વાયલા.'' તેનો અર્થ એવો થાય કે...... વખ એટલે પુનર્વસુ નક્ષત્ર અને પખ એટલે પુષ્ય નક્ષત્ર. આ બે નક્ષત્ર બે ભાઈની  જોડી  સમાન  છે  જો એક નક્ષત્ર વરસે તો  બીજુ પણ વરસે અને એક  નક્ષત્ર કોરૂ જાય  તો બીજામાં  પણ વરસાદની અછત    થાય. ઉપયોગ : ખેતી પાકમાં કટોકટીની અવસ્થામાં પિયત આપવાનું આગોતરૂ આયોજન કરી શકાય. ........................................................................................ '' અનુકરણશીલ પાંચ છે, મઘા આદિ જ વિચાર; એક ગળ્યે બીજા બીજા ગળે, જાણી લેજો સાર. તેનો અર્થ એવો થાય કે...... મઘા